દિયોદર ના ભેસાણા ગામે વીજ કરંટ લાગતા એક નું મોત

દિયોદર, 

દિયોદર તાલુકા ના ભેસાણા ગામે ખેતર માં કામ કરતા એક ખેત મજૂર ને એકાએક વીજ કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેમાં મૃતક ની લાશ ને પી એમ અર્થ દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના ભેસાણા ગામે રહેતા સોનાજી વરધાજી વણકર આજ રોજ ખેતર માં ચાર લેતા હતા ત્યારે એકાએક વીજ થાંભલા સાથે હાથ લાગતા ખેત મજૂર ને એકાએક કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

જેની જાણ તેમના પરિવારજનો ને થતા સ્થળ પર પરિવારજનો દોડી આવ્યા હતા.  અને મૃતક ની લાશ ને દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે પી એમ અર્થ ખાતે લાવવામાં આવી હતી. જે અંગે મૃતક ના પરિવારજનો એ દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા,  દિયોદર

Related posts

Leave a Comment